છેલ્લો કાળ આવે ત્યારે કહેશે, 'હવે જ્ઞાની આવે ને મને દર્શન થાય, બે કલાક આયુષ્ય વધારજો મારું, હે ભગવાન!' એમ બૂમાબૂમ કરે. હવે બૂમાબૂમ ના કરીશ. કાલાવાલા શું કરવા કરે છે? જ્યારે સત્તા હતી ત્યારે વાપરી નહીં. સત્તા ના હોય ત્યારે માગણી કરે!
પરમ પૂજ્ય દાદા ભગવાનજગત ક્રોધી કરતાં ક્રોધ ના કરનારાથી વધારે ભડકે! કારણ શું? ક્રોધ બંધ થઈ જાય એટલે પ્રતાપ ઉત્પન્ન થાય. કુદરતનો નિયમ છે એવો! નહીં તો ક્રોધ ન કરનારાનું રક્ષણ જ કરનાર ના મળેને! ક્રોધ એ અજ્ઞાનતામાં રક્ષણ કરનારું છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનસમકિત એટલે સવળી દૃષ્ટિ. આ અવળી દૃષ્ટિ તો શું કરે? 'આણે મારું નુકસાન કર્યું, આણે મને ફાયદો કર્યો, આણે મારું અપમાન કર્યું, મને દુઃખ દીધું, આણે સુખ આપ્યું' કહેશે. દુઃખ દેનારો કે સુખ આપનારો કોઈ છે જ નહીં બહાર! બધું અંદર જ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events