
જેમ કમળ અને પાણીને કોઈ ઝઘડો નથી, તેમ સંસાર અને ‘જ્ઞાન’ને કોઈ ઝઘડો નથી. બેઉ જુદાં જ છે. પણ માત્ર ‘બિલીફો’ જ રોંગ છે. તે ‘જ્ઞાની પુરુષ’ ‘રોંગ બિલીફ’ ‘ફ્રેકચર’ કરી આપે, ત્યારે સંસાર છૂટે.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંસારમાં જેટલું ઊંધું ચાલ્યા તેટલો ઈગોઈઝમ. ને જેટલો ઈગોઈઝમ ઓગળે તેટલું સનાતન સુખ વર્ત્યા કરે. 'જ્ઞાની પુરુષ'ને ઈગોઈઝમ ખલાસ થઈ ગયેલો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. કોઈ અપમાન કરે તોય પોતાને મહીં સુખ લાગે, ત્યારે એમ થાય કે ઓહોહો! આ કેવું સુખ!!!
પરમ પૂજ્ય દાદા ભગવાનબંધાવા માટે નિમિત્તો મળેલાં છે તેમ છોડાવવા માટે નિમિત્ત મળે તો તે છોડાવે જ છે. છૂટેલો હોય તે છોડાવે. છૂટેલો પુરુષ કો'ક કાળે એક હોય. મોક્ષ દુર્લભ નથી, 'મોક્ષદાતા પુરુષ' અતિ અતિ દુર્લભ છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન'જ્ઞાની પુરુષ' નિરંતર સ્વાભાવિક સુખમાં જ રહ્યા કરે અને એ જ આપણને સ્વાભાવિક સુખમાં લાવી શકે. બાકી, બીજો કોઈ લાવી ના શકે. જે તર્યો છે એ જ તારે. ડૂબકાં ખાનારો તે શું કરે?
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
