દરેક માણસે એટલું તૈયાર થવાનું છે કે કોઈ પણ જગ્યા બોજારૂપ ના લાગે. જગ્યા એનાથી કંટાળે. પોતે કંટાળો ના પામે, એટલે સુધી તૈયાર થવાનું છે. નહીં તો આ તો બધી અનંત જગ્યાઓ છે, ક્ષેત્રનો પાર નથી ! અનંત ક્ષેત્ર છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનતું સીધો રહીશ તો સામાને સીધા થઈને આવ્યે જ છૂટકો છે. કોઈ તમને ગાળ ભાંડે તે તમારી જોખમદારી પર ભાંડે છે ? તો શું ભગવાનની જોખમદારી પર ભાંડે છે ? ના, તે તો પોતાની જ જોખમદારી પર તમને ગાળ ભાંડી રહ્યો છે. જો તમે સામી ગાળ ભાંડશો તો એ તમારી જોખમદારી થઈ.
પરમ પૂજ્ય દાદા ભગવાનસભ્યતા તો સ્વાભાવિક હોવી જોઈએ. બીજું બધું એટીકેટ કહેવાય. મોક્ષમાર્ગ એટલે સાદાઈ હોવી જોઈએ. ત્યાં એટીકેટનાં ભૂતાં ના હોવાં જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events