બુદ્ધિ સંસારની દરેક બાબતમાં નફો-ખોટ દેખાડે. બુદ્ધિ દ્વંદ્વ દેખાડે. બુદ્ધિ એ દ્વંદ્વની જનની છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનબુદ્ધિ એ આજની કમાણી છે, આજનો 'એક્સપિરિયન્સ' છે! જ્યારે અક્કલ એ કુદરતી બક્ષિસ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનવિપરીત બુદ્ધિ થવી એ તો આ કાળનો વિચિત્ર નિયમ જ થઈ પડ્યો છે ને! અને એમાં ચેતીને ચાલે છે તે જીત્યો.
પરમ પૂજ્ય દાદા ભગવાન'અનડિસાઈડેડ' (અનિર્ણિત) વિચારો, એનું નામ મન. 'ડિસાઈડેડ' (નિર્ણિત) વિચારો, એનું નામ બુદ્ધિ.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય? બુદ્ધિનો અભાવ થાય ત્યારે.
પરમ પૂજ્ય દાદા ભગવાનકોઈ પણ માણસનું નુકસાન ના થાય અને પોતાનુંય કિંચિત્માત્ર નુકસાન ના કરે એ બુદ્ધિશાળી.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events