
મનના થરમાં ખોવાઈ જઈને સમાધિ ભોગવવી, એને સાચી સમાધિ ના કહેવાય. એ તો ‘ટેમ્પરરી’ અવસ્થા છે. એ અવસ્થા પૂરી થાય એટલે હતા ત્યાંના ત્યાં! એને તો નિદ્રા કહેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનખરી સમાધિ કોને કહેવાય? નિરંતર જાગૃત હોય તેને. બહારનું ભાન જતું રહે, એને સમાધિ ના કહેવાય. એ નિદ્રા કહેવાય. દેહનુંય ભાન જતું રહે એ સાચી સમાધિ ના કહેવાય. એ બધી લૌકિક સમાધિઓ છે!
પરમ પૂજ્ય દાદા ભગવાનઅહંકારશૂન્ય થાય ત્યારે ‘નિર્વિકલ્પ સમાધિ’ કહેવાય. અહંકાર હોય તે સવિકલ્પ સમાધિ કહેવાય.
પરમ પૂજ્ય દાદા ભગવાનજ્યાં સુધી સાધનોનું અવલંબન છે ત્યાં સુધી સવિકલ્પ સમાધિ. ‘નિર્વિકલ્પ સમાધિ’ એટલે વિકલ્પ કોઈ પ્રકારનો નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાન'વિજ્ઞાન'થી મતભેદ જાય. 'વિજ્ઞાન'થી સંપૂર્ણ સમાધિ રહે, નિરંતર સમાધિ રહે. એ 'વિજ્ઞાન' જગતમાં કો'ક ફેરો ઊભું થાય છે. બાકી 'વિજ્ઞાન' હોય નહીં.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events
