ખાલી અહંકાર કરીને ફરે છે ને છેવટે પેલાં લાકડાંમાં જાય છે એવી દયાજનક સ્થિતિ છે! અને બહુ સારો માણસ હોય, તેને ચંદનનાં લાકડાં મળે. પણ લાકડાં જ ને?! જે મરે જ નહીં એ ખરો શૂરવીર.
પરમ પૂજ્ય દાદા ભગવાનમોટામાં મોટી નબળાઈ કઈ? 'ઈગોઈઝમ'. ગમે તેટલાં ગુણવાન હો, પણ 'ઈગોઈઝમ' હોય તો 'યુઝલેસ' (નકામું). ગુણવાન તો નમ્રતાવાળો હોય તો જ કામનો.
પરમ પૂજ્ય દાદા ભગવાનઅહિંસા જેવું કોઈ બળ નથી અને હિંસા જેવી કોઈ નિર્બળતા નથી. આ દુનિયામાં નિર્બળ કોણ? અહંકારી. આ દુનિયામાં સબળ કોણ? નિર્અહંકારી.
પરમ પૂજ્ય દાદા ભગવાનબે વસ્તુના આધારે આ જગતમાં મનુષ્યો જીવે છે: એક સ્વરૂપનો આધાર, બીજો અહંકારનો આધાર.
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events