આત્મશક્તિની લંબાઈનો પાર જ નથી ! દરેક માણસના વિચારને ‘એક્સેપ્ટ’ કરે એટલે સુધી લંબાઈ છે. ચોર ચોરી કરે તેય ‘એક્સેપ્ટ’ કરે, દાનેશ્વરી દાન આપે તેય ‘એક્સેપ્ટ’ કરે, બધું ‘એક્સેપ્ટ’ કરે એવી એ આત્મશક્તિ છે, પરમાત્મ શક્તિ છે અને એ જ આત્મા છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનજગતમાં ઉપાદાન બધાં બહુ જાતનાં છે. પણ છેલ્લામાં છેલ્લું ઉપાદાન, મોક્ષનું ઉપાદાન પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા છે !
પરમ પૂજ્ય દાદા ભગવાનસમકિત વગર જે કંઈ કરવામાં આવે તે બધું બંધન જ છે. પછી દાન આપતો હોય કે દયા રાખતો હોય.
પરમ પૂજ્ય દાદા ભગવાનસંપવાળું જગત છે જ નહીં. એ તો 'જ્ઞાની પુરુષ' મોક્ષનું દાન આપે ત્યારે જ સંપ રહે. 'જ્ઞાન' વગર સંપ રહે તેમ નથી.
પરમ પૂજ્ય દાદા ભગવાનદાન એટલે બીજા કોઈ પણ જીવને સુખ આપવું. મનુષ્ય હોય કે બીજાં પ્રાણી હોય તેમને સુખ આપવું, એનું નામ દાન. અને બધાંને સુખ આપ્યું એટલે એનું ‘રીએક્શન’ આપણને સુખ જ આવે. સુખ આપો તો તરત જ સુખ ઘેર બેઠાં તમારે આવે !
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events