જ્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી સંપ ના થાય. પરમાર્થ થાય ત્યારે સંપ કરે.
પરમ પૂજ્ય દાદા ભગવાનનફો એ દેહનું વિટામિન છે ને ખોટ એ આત્માનું વિટામિન છે. પછી ખોટ છે જ ક્યાં?
પરમ પૂજ્ય દાદા ભગવાનલોકો મિત્રચારી તોડે છે તે મહીંની ને બહારની બન્ને તોડી નાખે છે. સંજોગવશાત્ બહારનું બગડ્યું, પણ મહીંનું ના બગડવું જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાનજલેબી ચાનું તેજ હણે. તેવી જ રીતે આત્માનું જ્યારે સુખ ચાખે, ત્યાર પછી આ સંસારનાં સુખો મોળાં લાગે. સંસારનાં સુખો મોળાં લાગે નહીં ત્યાં સુધી સંસાર છૂટે નહીં!
પરમ પૂજ્ય દાદા ભગવાનતમે કહો કે 'હું હવે વૃદ્ધ જેવો દેખાઉં છું', તો તેવા દેખાવાની શરૂઆત થાય. તમે કહો કે 'ના, હવે હું જુવાન જેવો દેખાઉં છું', તો તેવા દેખાવાની શરૂઆત થાય. જેવું કલ્પો તેવું દેખાય. આત્મા કલ્પસ્વરૂપ છે અને વિકલ્પ કરો એટલે પછી સંસાર ઊભો થાય! નિર્વિકલ્પમાં આવો તો 'મૂળ સ્વરૂપ'માં આવી જવાય!
પરમ પૂજ્ય દાદા ભગવાનsubscribe your email for our latest news and events